05 March 2018

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે Hari ne bhajta haji koini laaj jata nathi jani re

હરિને ભજતાં 

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે 

જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે....હરિને 

વહાલે ઉગાર્યો પ્રલાદ હિરણ્યકશ્યપ માર્યો રે 

વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે.....હરિને 

વહાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે 

ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે.....હરિને 

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે 

પાંચાળીનાં પૂર્યાં ચીર પાંડવ કામ કીધાં રે....હરિને 

આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે 

કર જોડી કહે ‘પ્રેમળદાસ’ ભક્તોનાં દુઃખ હરશે રે.....હરિને

No comments:

Post a Comment