05 March 2018

નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે Narayan nu naamaj leta vare tene tajiye re

નારાયણનું નામ જ લેતાં. 

નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે 

મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...નારાયણ 

કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ મા ને બાપ રે 

ભગિની સુત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે...નારાયણ 

પ્રથમ પિતા પ્રલાદે તકિયા નવ તજિયું હરિ નામ રે 

ભરત શત્રુષ્ન તજી જનેતા નવ તજિયા શ્રીરામ રે....નારાયણ 

ઋષિપત્નીએ હરિને કાજે તજિયા નિજ ભરથારે રે 

તેમાં તેનું કાંઈ એ ન ગયું પામી પદારથ ચાર રે....નારાયણ 

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વન ચાલી રે 

ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે મા’લી રે....નારાયણ

No comments:

Post a Comment